
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે:
ગુજરાત રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે જારી કર્યા આદેશો,
ગાંધીનગર: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કર્યો છે.
ભારત સરકારની આ શોક જાહેર કરવાની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે. તદ ઉપરાંત આદેશ અનુસાર, રાજ્યમાં જે સરકારી ભવનો-ઇમારતો પર નિયમીતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે આ રાષ્ટ્રવ્યાપી શોકના સમયગાળા તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સુધી અડધી કાઠીએ ફરકાવવાના રહેશે. એટલું જ નહિ, આ દિવસો દરમ્યાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં.
શ્રોત: સી.એમ-પીઆરઓ/અરૂણ