
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નાયબ કાર્યપાલક ઇજનેરની નર્મદા ખાતે થી અંકલેશ્વર બદલી થતાં સરપંચોનું ગૃપ પહોચ્યું નાયબ કાર્યપાલક ઇજનેર વિજયસિંહની શુભેચ્છા મુલાકાતે:
નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિજયસિંહ.બી.વસાવા સાહેબ શ્રી જેમણે નર્મદા જિલ્લામાં દરેક ગામના વિકાસ માટે ના કામોમાં તેમજ નાંદોદ તાલુકાના કુંવરપરા ગામમાં વર્ષોથી રસ્તાની સમસ્યા હતી એ રસ્તો પણ આપ સાહેબ શ્રીના સહયોગથી ખૂબ સારી રીતે રસ્તાનું કામચાલી રહ્યું છે, અને તિલકવાડા તાલુકામાં તિલકવાડા ગામ થી મણીનાગેશ્વર મહાદેવના મંદિર તરફ જતો રસ્તો જે 14 ગામને જોડતો રસ્તો આપ સાહેબ શ્રી ના સહયોગથી એ બનાવવામાં આવ્યો એમાં પણ આપ સાહેબનો કાર્યકાળ દરમ્યાન ખૂબ મોટો સિંહફાળો છે એ બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભાર અને ખૂબ સારી રીતે પોતાનું યોગદાન આ જિલ્લામાં આપ્યું છે એવા અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર નર્મદા વિજયસિંહ.બી.વસાવા સાહેબ શ્રી ને આજ રોજ તેમનો સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ જીતેન્દ્રભાઈ ભીલ, તિલકવાડા તાલુકા પ્રમુખ અરૂણભાઇ તડવી, ગરૂડેશ્વર તાલુકા પ્રમુખ શીતલબેન તડવી આમ તમામ પ્રમુખ શ્રીઓ દ્વારા સાહેબ શ્રીનું વિદાય સમારોહ માં શુભેચ્છાઓ પાઠવી આવનારા દિવસોમાં આપ જ્યાં પણ સરકારશ્રીના આદેશ મુજબ આપની ફરજ બજાવશો અને ખુબ જ સારી રીતે આવનારા દિવસોમાં આપ આપની જવાબદારી નિભાવશો અને દરેક પ્રજાના પ્રશ્નો ખૂબ સારી રીતે અને સરળતાથી નિરાકરણ લાવશો અને પ્રજાની સેવા કરશો અને આપ હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રહેશો અને આવનારા દિવસોમાં આપ સાહેબ શ્રી ના જે પણ કઈક સ્વપનાઓ હશે એ દરેક સ્વપનાઓ પૂર્ણ થાય તેવી તાલુકા તેમજ જિલ્લાના સરપંચ પરિષદ ની ટીમ દ્વારા સાહેબ શ્રી ને શુભેચ્છા પાઠવવામાં આવી.