વિશેષ મુલાકાત

માંગરોળ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ક્વોરીઓના સંચાલકો સામે કાયદાકીય પગલાં ભરવા, માંગરોળનાં મામલતદારને અપાયેલું આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ક્વોરીઓના સંચાલકો સામે, કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં આગેવાનો તરફથી માંગરોળના મામલતદાર દિનેશભાઇ ચૌધરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સચિવ-વન અને પર્યાવરણ તથા સચિવ,ખાણ-ખનીજ વિભાગ, ગાંધીનગરને સંબોધીને લખાયેલા આ આવેદનપત્રમાં જણાવાયું છે કે માંગરોળ તાલુકાનાં કેટલાંક વિસ્તારોમાં ગેરકાયદેસર ક્વોરીઓ ધમધમી રહી છે. મોટાભાગની ક્વોરીઓ માર્ગો અને જંગલની જમીનને અડીને આવેલી છે. જેથી પર્યાવરણ અને ખેડૂતોની જમીન અને ખેતીનાં પાકોને નુકશાન થઈ રહ્યું છે. સાથે જ કવોરીની ખુલ્લી પડેલી ઉંડી ખાણોથી આસપાસના ગામોનાં જનાવરો અને મનુષ્યને નુકશાન થઈ રહ્યું છે. તાજેતરમાં એક ખાણમાં વેલાવી ગામનો એક યુવક રાત્રી દરમિયાન પોતાની સાસરીમાં જઈ રહ્યો હતો, ત્યારે રાત્રીનાં સમયે ખાણમાં પડી જવાથી એનું મોત નીપજ્યું છે. જેના પરિવારને હજુ સુધી કોઈ વળતળ ચુકવવામાં આવ્યું નથી. ગત વર્ષે આજ ખાણમાં પાતલદેવી ગામનો એક બાળક પડી જતાં એનું પણ મોત થયું હતું. આમ આ પ્રકારના બનાવો વારંવાર ન બને એ માટે ક્વોરી સંચાલકો સામે કાયદેસરના પગલાં ભરવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે. આ આવેદનપત્ર માંગરોળનાં ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઇ ચૌધરીને આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માજી પંચયતમંત્રી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી, શાહબુદ્દીન મલેક, એડ.બાબુભાઇ ચૌધરી, રૂપસિંગ ગામીત વગેરે હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है