વિશેષ મુલાકાત

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ:

સરકારના વિકાસના કામોમાં કવોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહી:-શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શિક્ષણ રાજ્યમંત્રી અને ધારાસભ્યશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને તથા પ્રાંત અધિકારી વી.કે.પીપળીયાની ઉપસ્થિતિમાં કામરેજ તાલુકા સંકલન સમિતિની બેઠક પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી.

             બેઠકમાં વિકાસકામો ગુણવત્તાયુકત થાય તે જરૂરી હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, સરકારના વિકાસના કામોમાં કવોલિટી બાબતમાં કોઈ કચાશ ચલાવી લેવાશે નહી. આગામી પાંચ વર્ષમાં કામરેજ તાલુકાના એક પણ ગામમાં ઝૂંપડું ન રહે, સૌને પાકા મકાનો મળે તે દિશામાં રોડમેપ બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. કામરેજની આસપાસ ગંદકી તથા હાઈવેના સર્વિસ રોડની સમયસર મરામત થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડ્રેનેજ તથા પાણીની પાઈપલાઈન જેવા વિકાસકામોમાં કોઈ પણ અડચણરૂપ બનતા હોય તો પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવા મંત્રીએ કહ્યું હતું. ગુજરાત ગેસ કંપની દ્વારા કામરેજમાં મહત્તમ ગામોનો સમાવેશ કરી ગેસ લાઈનની કામગીરી ઝડપી બનાવવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ અંતર્ગત કોઈ લાભાર્થી કાર્ડ વિના રહી ન જાય તે માટે ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું હતું. 

           પ્રાંત અધિકારી પીપળીયાએ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા યાદીની ઝુંબેશમાં વધુમાં વધુ લોકોને પોતાના નામો ઉમેરવા, સુધારા-વધારા કરવાનો અનુરોધ કર્યો હતો. 

            બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર: ફતેહ બેલીમ  સુરત 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है