
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ તાપી કીર્તનકુમાર
BTP તાપી જીલ્લા દ્વારા ચૂસ્તપણે બંધારણ અમલવારી કરવાં માટે આપવામાં આવ્યું આવેદનપત્ર:
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા વિશ્વ ભરના આદિવાસીઓનું સંસ્કૃતિક પરંપરાગત, જીવન શૈલી, વેશભુષા, ભાષા, મૂળભૂત હક્કો, સહી સલામત જીવંત રહે તે માટે ૯ ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. સમગ્ર વિશ્વમાં આ દિવસને આદિવાસીઓ દ્વારા ગૌરવ ભેર ઉજવણી કરવામાં આવે છે. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ વાળી ભાજપની રાજ્ય સરકારે પણ ૧૪ જિલ્લાઓમાં ૫૩ તાલુકાઓમાં ઉજવણી કરવાનું નક્કી કરેલ છે. રાજયકક્ષાનીં ઉજવણી મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી નાં અધ્યક્ષ સ્થાને નર્મદા જીલ્લા ખાતે રાખવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી પોતાને સંવેદનશીલ કહેવા વાડી આ સરકારે આદિવાસીઓને મળેલા બંધારણીય અધીકારોની આજ દિન સુધી અમલવારી નહિ કરી ને આદિવાસી સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન રાખેલ છે.
૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજયકક્ષાની ઉજવણીના નર્મદા જીલ્લામાજ આ સરકાર દ્વારા આદિવાસીઓ સાથે સૌથી વધુ અન્યાય કરવામાં આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિધેયક સત્તા મંડળનો કાયદો લાવી વર્ષો થી વસવાટ કરતા સ્થાનિક આદિવાસી ઓને વિસ્થાપન કરાવાનું કામ આ સરકાર કરી રહી છે. સ્થાનિક લોકો પર પ્રશાસન દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે. આજ નર્મદા જીલ્લાના ૧૨૧ ગામોને વિકાસ અને પર્યટનના નામે “ઇકો સેન્સીટીવ ઝોન” માં સમાવેશ કરી સરકાર દ્વારા આ તમામ ગામોના રેવન્યુ રેકોર્ડના બીજા હકકો મા ગેર બંધારણીય રીતે એન્ટ્રીઓ પાડવામાં આવી છે. પેસા એક્ટ-૧૯૯૬ પ્રમાણે ગ્રામ સભાની મંજુરી લીધા વિના sou અને ઇકોસેન્સીટીવ લાગ કરવામાં આવે છે. ગુજરાતમા આદિવાસી સમાજની ૧૬% વસ્તી હોય વર્ષો થી વોટ બેંક તરીકે ઉપયોગ કરનારી આ સરકારે આજદિન સુધી આદિવાસીઓની બંધારણીય જોગવાઈ “અનુસૂચી-૫” ની અમલવારી કરી નથી, આ સરકારે RBC – રબારી, ભરવાડ, ચારણને મેળાઓ કરી કરીને ખોટા S.T ના પ્રમાણપત્રો આપેલ છે. ૨૦૧૭મા બીલ લાવી કાયદો બનાવવા છતા RBC સમાજના લોકોના ખોટા પ્રમાણપત્રો આજ દિન સુધી રદ નથી કર્યા. તાપી જીલ્લાના ડોસવાડા ખાતે mou કરી ને આ સરકાર દ્વારા વેદાંતા ગ્રુપના હિન્દુસ્તાન ઝીંક પ્રોજેક્ટ લાવવા ગુજરાત સરકાર મથી રહી છે. જેનાથી સ્થાનિક આદિવાસીઓના આરોગ્ય જોખમમાં મુકવા માંગે છે. આદિવાસી સમાજને મળેલા અધિકારોનું આ સરકાર દ્વારા હનન કરવામાં આવી રહ્યું છે. આદિવાસી વિસ્તારો માં મોટા મોટા ડેમો બનાવીને આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. જેતે સમયે આકરાણી પર નક્કી કરવામાં આવ્યો છે. છતાં આદિવાસીઓને સિંચાઇ થી વંચિત રાખવામા આવ્યા છે.
ગેર બંધારણીય રીતે (TSP)ટ્રાયબલ સબ પ્લાન બનાવીને આદિવાસીઓનું બજેટ એન.જી.ઓ સાથે મળીને સગેવગે કરવાનું કોભાંડ કરવામાં આવે છે. વનબંધુ કલ્યાણ યોજનાના નામે હજારો કરોડ રૂપિયાનું આદિવાસી બજેટ વાપરવામાં આવ્યું છે. તો આદિવાસીઓનું ઉત્થાન થઇ જવું જોઈએ જે થયું નથી.
TACનો અધ્યક્ષ પણ આદિવાસી હોવો જોઈએ જેની જગ્યાએ. ગેર આદિવાસીને અધ્યક્ષ બનાવીને બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે. આમ આઝાદીના ૭૩ વર્ષ પછી પણ ભારતના બંધારણમાં આદિવાસી ઓને મળેલા વિશેષ અધિકારોની “૫ મી અનુસૂચીની” આજદિન સુધી અમલવારી કરવામાં નથી આવી, પેસા એકટ ૧૯૯૬- લાગુ કરવામાં આવ્યોને ૨૫ વર્ષ વીતી ગયા છતા આ સરકારે આજદિન સુધી એક પણ પૈસા એકટની ગ્રામસભા બનાવેલ નથી, આદિવાસીઓ સાથે ખોટા દેખાવો કરવા કરતા આ બંધારણનું અમલવારી કરવામાં આવે, એવી અમારી સમગ્ર આદિવાસી સમાજ અને ભારતીય ટ્રાયબલ ટાઈગર સેનાની માંગ છે જો આમ ન કરવામાં આવે તો પ્રશાસનને આંદોલનનો સામનો કરવો પડશે. તેવુ btp તાપી જીલ્લા દ્વારા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું.