
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશભાઈ ચૌધરી.
સુરત જીલ્લામાં માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કોરોના વાયરસ અંગેની જન જાગૃતિ કાર્યક્રમ, વિકાસના વિવિધ કામોના ખાત મુહર્ત અને લોકાર્પણ તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો પ્રજાજોગ સંદેશ જન જન સુધી પહોંચાડવાનો કાર્યક્રમ મંત્રીશ્રી. ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
વાંકલમાં 2 કરોડ 33 લાખના વિવિધ વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહર્ત મંત્રીશ્રી ગણપત સિંહ વસાવાના હસ્તે કરાયા. કુલ 17કરોડ 50લાખ રુપિયાનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરાયા. વાંકલ, આંબાપારડી, માંડવીને જોડતો બ્રીજ 2કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજનુ ખાત મુહર્ત કરાયું. બ્રિજ બનવાથી બોરિયા, ઓગણીસા, આંબાપારડી, માંડવી રોડ પર ચોમાસાની ઋતુમાં પુલ પાણીમાં ડૂબી જતો હતો. આ બ્રિજ બનવાથી લોકોને રાહત થશે. આંબાવાડીથી ખરેડાના રસ્તા, પેવર બ્લોક અને સીસી રોડ માટે 283 લાખ, ઓગણીસા રસ્તા માટે 70લાખ, સણધરા ગામે સીસી રોડ અને પાણીના ટેન્કર માટે 7લાખ, કન્સ્ટ્રક્સન ઓફ બોક્સ કલવર્ટ એટ વાંકલ આંબાપારડી રોડ 2કરોડના ખર્ચે તૈયાર થનારનુ ખાતમુહર્ત મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું છે. આમકુંટા ગામે સીસી રોડ અને પેવર બ્લોક માટે 13લાખ, વેરાકુઈ, ઝાબ પાતળ રોડ અને સીસી રોડ 855લાખ, કંસાલી મા રોડ, પેવર બ્લોક અને રસ્તા 66લાખ, નાની નારોલી થી ઉમેલાવ રસ્તા અને સીસી રોડ માટે 120 લાખનુ લોકાર્પણ કરવામાં આવ્યું. વધુમાં મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે આ કોરોનાની મહામારી સામે સાવચેત રહેવાની જરૂર છે. માસ્ક ફરજીયાત પહેરવું, સાબુ થી હાથ વારંવાર ધોવા, સામાજિક અંતર જાળવવું ખુબ જ જરૂરી છે. ગામમાં સરપંચ અને કાર્યકરો એ 20 ઘરે ફરી ને કોરોના વાયરસ વિશે સમજણ આપવા માટે જણાવ્યું હતું. આ તકે ગણપત સિંહ વસાવા, નૌશીર પારડીવાળા, સુરત જી.પં. ના અધ્યક્ષ દિપક વસાવા, વાંકલના સરપંચ ભરત વસાવા, ઉમેદભાઈ, મુકેશભાઈ ચૌહાણ, હર્ષદભાઈ ચૌધરી તેમજ ડો. યુવરાજસિંહ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.