
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ
વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨:
જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટે ૯ જનરલ ઓબ્ઝર્વર, ૨ પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક:
ચૂંટણી ઓબ્ઝાર્વરો મતદારો, ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી રજૂઆતો સાંભળશે,
સુરતઃ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટે આગામી તા.૧લી ડિસેમ્બમરના રોજ મતદાન થનાર છે, ત્યારે આ તમામ વિધાનસભા મતવિસ્તાટરોમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા આશયથી ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે નવ જનરલ ઓબ્ઝયર્વર અને ૨ પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે, જેઓ મતદારો, ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી રજૂઆતો સાંભળશે, પોલીસ ઓબ્ઝર્વરો કાયદો અને ન્યાયની સ્થિતિ પર દેખરેખ રાખશે.
૧૫૫-ઓલપાડ વિધાનસભા માટે શ્રી વિનીતકુમાર(AS) (મો.૯૩૧૩૨૧૮૪૯૮), ૧૫૬-માંગરોળ અને ૧૫૭-માંડવી માટે શ્રીમતી કચન વર્મા (IAS) (મો.૯૧૦૬૫ ૪૧૨૧૬), ૧૫૮- કામરેજ માટે કુ.પ્રિતી મીણા (IAS)(મો.૬૩૫૯૯ ૦૯૯૦૨), ૧૫૯-સુરત-પુર્વ અને ૧૬૦-સુરત ઉત્તર માટે શ્રી સુરેશ ચૌધરી (AS) (મો.૮૧૬૦૨ ૯૦૫૫૩), ૧૬૧-વરાછા રોડ અને ૧૬૨-કરંજ માટે શ્રી ઉમાનંદ ડોલી(AS)(મો.૯૩૧૩૦ ૩૩૪૯૦), ૧૬૩-લિંબાયત અને ૧૬૪ ઉધના માટે શ્રી કૃણાલ સિલ્ક(IAS)(મો.૯૬૮૭૫ ૯૨૪૦૯), ૧૬૫-મજુરા અને ૧૬૮-ચોર્યાસી માટે શ્રી રાજેશ કુમાર (IAS) (મો.૮૩૨૦૦ ૮૮૭૯૭), ૧૬-કતારગામ અને ૧૬૭-સુરત પશ્ચિમ માટે શ્રી દિપાંકર ચૌધરી(AS) (મો.૯૯૭૮૩ ૫૪૯૯૪) તેમજ ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવા માટે શ્રી હર્ષલ પંચોલી(IAS) (મો.૯૬૮૭૯ ૫૭૪૭૧)ની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
૧૫૫-ઓલપાડ, ૧૫૯-સુરત-પુર્વ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૬- ૧૬૭-સુરત પશ્ચિમ અને ૧૬૮-ચોર્યાસી માટે શ્રી પુનિત કતારગામ, રસ્તોગી(IPS)(મો.૮૨૦૦૬૩૭૦૮૧) તથા ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૦- સુરત ઉત્તર, ૧૬૧-વરાછા રોડ, ૧૬૨-કરંજ, ૧૬૯-બારડોલી, ૧૭૦-મહુવા વિધાનસભા માટે શ્રીમતી કલ્પના નાયક ડી.(IPS) (મો.૬૩૫૧૬ ૪૦૫૬૬)ની પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં
આવી છે. જિલ્લા કલેકટર કચેરી-સુરત સ્થિત ૨૪૪૭ મોનિટરીંગ સેલમાં નાગરિકો મતદારોની રજૂઆતો સંપર્ક માટે ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૨૧૨૦ તથા લેન્ડલાઇન નં.૦૨૬૧ ૨૯૯૨૨૪૫/૨૨૪૬/૨૨૪૭૮૨૨૪૯ પણ કાર્યરત હોવાનું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.