શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ
વ્યારા: “કોરાના” ના ટેસ્ટિંગ માટે રાજ્ય સરકાર દ્વારા વ્યારાની જનરલ હોસ્પિટલને ટ્રુ નેટ ( true net) મશીન ની ફાળવણી કરવામાં આવી છે. આ પહેલાં તાપી જીલ્લાનાં વ્યારા ખાતે થી કોરોના ટેસ્ટીંગના સેમ્પલ સુરત ખાતે મોકલી અપાતાં હતાં અને અમુક દિવસો પછી સેમ્પલનો રીપોર્ટ આવ્યા બાદ જ સારવાર શક્ય બનતી હતી હવે કોરોના ટેસ્ટીંગ મશીન ઉપલબ્ધ થતા વ્યારા ખાતે જ આ ટેસ્ટ કરી તાત્કાલિક સારવાર કરવી હવે શક્ય.
સિવિલ સર્જન ડો. નૈતિક ચૌધરી દ્વારા આજે લેબોરેટરી વિભાગ ખાતે આ મશીનને કાર્યાન્વિત કરાવી તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. ડો.ચૌધરીના જણાવ્યા અનુસાર “કોરોના”ના ટેસ્ટિંગ માટે પહેલા તાપી જિલ્લાના સેમ્પલ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવા પડતા હતા, જે હવેથી અહીંયા જ મશીન ઉપલબ્ધ થતા વ્યારા ખાતે જ આ ટેસ્ટ કરી શકાશે.
વ્યારા ખાતે જ આ સુવિધા ઉપલબ્ધ થતા “કોરોના”ના ટેસ્ટિંગ રિપોર્ટ ઝડપથી મળી જશે, જેથી જરૂરીયાતમંદ દર્દીઓની સારવાર પણ વિના વિલંબે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે શરૂ કરી શકાશે, એમ ડો.નૌતિક ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.