રાષ્ટ્રીય

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન તેમના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે:

ગુજરાત રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે જારી કર્યા આદેશો, 

ગાંધીનગર: ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર કર્યો છે.
ભારત સરકારની આ શોક જાહેર કરવાની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે. તદ ઉપરાંત આદેશ  અનુસાર, રાજ્યમાં જે સરકારી ભવનો-ઇમારતો પર નિયમીતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે આ રાષ્ટ્રવ્યાપી શોકના સમયગાળા તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ સુધી અડધી કાઠીએ ફરકાવવાના રહેશે. એટલું જ નહિ, આ દિવસો દરમ્યાન કોઇ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો પણ યોજી શકાશે નહીં.
શ્રોત: સી.એમ-પીઆરઓ/અરૂણ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है