Site icon Gramin Today

દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારની એક ધાર્મિક સંસ્થા સીલ!

દિલ્હી સ્થિત એલ.એન.જે.પી. હોસ્પીટલમાં કોરોના પોઝીટીવ એક ૬૪વર્ષીય  વ્યક્તિની મોત થતાં સમગ્ર મામલો આવ્યો સામે, સરકાર થઇ દોડતી, સમગ્ર નિઝામુદ્દીન વિસ્તાર છાવણીમાં ફેરવાયો!  લોક ડાઉનનાં કાયદાનો ભંગની થશે કાર્યવાહી (પોલીસ)

 જમાતનો આયોજિત “ધર્મ પ્રચારના” કાર્યક્રમ  કે કોરોના વાયરસ પ્રસાર?

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારની એક ધાર્મિક સંસ્થા સીલ કરવામાં આવી, લોક ડાઉનમાં જાહેર થતાં અહિયાં રોકાયા હતાં ૨૦૮ લોકો જેઓ બીજા રાજ્યનાં અન્ય દેશનાં, દરેકને કરાયા છે આઈસોલેટ; અને નિઝામુદ્દીન દરગાહ વિસ્તાર નજીકનાં ૧૮૦૦ થી વધારે લોકોને ૧૪ દિવસ સુધી કરાયા છે કોરોનટાઇન, મસ્જીદ(દરગાહ) કરાય ખાલી અને  મારવામાં આવી સીલ! બસમાં લોકોને નજીકની હોસ્પિટલમાં કરાયા સીફ્ટ   વગર પરમિશને ચાલી રહ્યો હતો મસ્જીદમાં “તબ્લીગી”  કાર્યક્રમ, મસ્જીદનાં  સંચાલકો સામે F.I.R નો આદેશ, એક મહિનાંનો હતો ધાર્મિક કાર્યક્રમ, અહિયાં ૧૩,૧૪,૧૫,માર્ચ સુધી જ ચાલેલાં કાર્યક્રમમાં ૨૦૦૦થી વધારે લોકોએ લીધો હતો ભાગ થયા હતાં કાર્યક્રમમાં સામીલ અન્ય દેશનાં  તથા દિલ્હી ઉત્તરપ્રદેશ, જમ્મુ, તમિલનાડુ, તેલંગના હેદરાબાદનાં જમાતીઓ હાજર હતા પરંતુ લોક ડાઉન જાહેર થતાં લોકોએ કાર્યક્રમ રદ કરી પોતપોતાનાં વતન જતાં રહ્યાં હતાં,પણ ૨૦૦ થી વધારે લોકો અહીજ રોકાયા હતાં, કાલે એક કોરોના પોઝીટીવ વ્યક્તિનું મોત થતાં સમગ્ર મામલો આવ્યો સામે, મૃત વ્યક્તિની મુસાફરીની હિસ્ટ્રી દ્વારા રેલો દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારની બહુ પ્રખ્યાત મસ્જીદ સુધી પોહોચ્યો તેથી પ્રશાસને પાડી રેડ અંદર થી નીકળ્યાં ૨૦૦થી વધારે લોકો,  આ કાર્યક્રમ એક મહિના સુધીનો  તબ્બ્લીકી જમાતનો આયોજિત “ધર્મ પ્રચારના” ભાગરૂપે  કરાયો હતો, આ ટીચીંગ સ્થાન હોવા થી લોકોની રહે છે હંમેશા જમાવડો!                       

હવે અન્ય રાજ્યોનાં તંત્ર માટે પડકાર ક્યાં થી શોધવા તબ્લીગી જમાતીઓને ?   લોકો સ્વેચ્છાએ સામે આવે તે જરૂર નું! જાતે પોતાની તપાસ કરાવીને પરિવાર કે વિસ્તાર માટે કોરોના સંક્રમણ ફેલાવાનો  ખતરો નાં બને તો સારું! માહિતી મુજબ ૩૮૦ જેટલા લોકો તેલંગાણા રાજ્યનાં જમાતીઓ હતાં, ૬ કોરોના વાયરસથી મોત થતાં રેલો દિલ્હીમાં પોહોચ્યો હજુ ૨૪ લોકો સારવાર હેઠળ, આ તે દરેક લોકો છે જેમણે હાજરી આપી હતી દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારની મસ્જીદમાં, આજે આજુબાજુનાં વિસ્તારને દેહ્સતમાં નાખી દીધો! ૧૦૦ બસો લગાવી દીધી તપાસ કરવાં મચી ગઈ દોડધામ, તંત્ર થયું દોડતું! મોટી સમસ્યા ઉભી થઇ ગઈ, ઉભા થયા અનેક સવાલો, દેશમાં ફેલાયો આ કાર્યક્રમ દ્વારા મોટો ખતરો,

કોરોના લડાય ફક્ત સરકારની નથી, આખા દેશની જનતાની લડાય છે,   આજે સમગ્ર  જનતા માટે “દેશ ધર્મ” પહેલો  આ વાતની સાર્થક કરતાં સમગ્ર દેશનાં ધાર્મિક સ્થળો બંધ છે, ત્યારે આવો મામલો દેશની રાજધાની દિલ્હીમાં બહાર આવતા “દીવા તળે અંધારું” કહેવત સટીક રીતે લાગુ  પડે છે, પલાયન વાળી ઘટના દ્વારા અને આવાં બિન જવાબદાર ઘટનાઓ દ્વારા  દેશમાં ચાલી રહેલી કોરોના લડાય નિષ્ફળ જવાનો ડર!   દિલ્હીનું નિજામુદ્દીન આજે બન્યું કોરોના સંક્રમણનું કેન્દ્ર સ્થાન? આજે ટીવીમાં ચર્ચાનો વિષય થસે….  લાપરવાહી કહો કે બેદરકારી?  કોરોના દેહ્સત થી આજે વિશ્વનું ફસ્ટ ધાર્મિક સ્થળ મક્કા મદીના શરીફ બંધ છે, ઘરે રહો સુરક્ષિત રહો,  ઘરમાં રહીને લડીશું કોરોના લડાય, દેશ નક્કી જીતશે! કોરોના હરશે, 

Exit mobile version