શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
લાંબા સમયથી પડતર લેબર કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ ઝુંબેશ
ક્ષેત્રિય શ્રમ આયુક્ત (કેન્દ્રિય), નવી દિલ્હી દ્વારા DMRCના 178 દાવાઓની સમર્પિત સુનાવણી
નવી દિલ્હી: ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ) ની કચેરી દ્વારા લાંબા સમયથી પડતર લેબર (શ્રમ) કેસોના ઝડપી નિકાલ માટે 01 જૂન 2026 થી 31 ઓગસ્ટ 2026 સુધી શરૂ કરાયેલી વિશેષ ઝુંબેશના ભાગરૂપે, નવી દિલ્હી ક્ષેત્રમાં એક મોટી પહેલ હાથ ધરવામાં આવી છે.
આ વિશેષ ઝુંબેશના ઉદ્દેશ્યોને આગળ ધપાવતા, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને લગતા 178 દાવોઓને કેન્દ્રિત સુનાવણી અને નિકાલ માટે ઓળખી કાઢવામાં આવ્યા છે. રીજનલ લેબર કમિશનર (સેન્ટ્રલ), નવી દિલ્હી-કમ-ઓથોરિટી અંડર ધ કોડ ઓન વેજીસ, 2019 એ પક્ષકારોને 24.06.2026 ના રોજ હાજર રહેવા માટે 15.06.2026 ના રોજ નોટિસ જાહેર કરી છે.
પડતર કેસો ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે અભૂતપૂર્વ કવાયત હાથ ધરીને, તમામ 178 કેસોને એક જ દિવસે સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવ્યા છે. 24 જૂન 2026 નો આખો દિવસ ખાસ કરીને DMRC ને લગતી બાબતો માટે અનામત રાખવામાં આવ્યો છે, જે કામદારોના દાવાઓના સમયસર ચુકાદા પ્રત્યે શ્રમ વહીવટીતંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ કેન્દ્રિત પહેલથી લાંબા સમયથી પડતર કેસોના નિકાલમાં નોંધપાત્ર તેજી આવવાની, કામદારોને સમયસર રાહત મળવાની અને શ્રમ ન્યાય વિતરણ પ્રણાલીમાં વિશ્વાસ વધવાની અપેક્ષા છે. તે કેસોના બેકલોગને ઉકેલવા માટે નવીન અને પરિણામલક્ષી પગલાં અપનાવવા માટે CLC(C) સંસ્થાના સંકલ્પને પણ દર્શાવે છે.
આ કવાયત સમાન પ્રકારના કેસોનું બકેટીંગ (વર્ગીકરણ) કરવાની અને ક્લસ્ટર-આધારિત સુનાવણી હાથ ધરવાની નવી પદ્ધતિની શરૂઆત દર્શાવે છે, જે શ્રમ સત્તાવાળાઓને મોટી સંખ્યામાં કેસોનો કાર્યક્ષમ, વ્યવસ્થિત અને સમયબદ્ધ રીતે નિકાલ કરવા સક્ષમ બનાવશે. આ પહેલ દેશભરમાં પડતર બાબતોના ઝડપી નિકાલ માટે એક મોડેલ તરીકે કામ કરે અને શ્રમ કાયદાના અમલીકરણમાં વધુ વહીવટી કાર્યક્ષમતામાં યોગદાન આપે તેવી અપેક્ષા છે.
DMRC ના એડિશનલ જનરલ મેનેજર (પ્રોજેક્ટ્સ) એ પડતર કેસોના ઝડપી નિકાલના મહત્વ અને કામદારો, નોકરીદાતાઓ તથા અન્ય હિતધારકો પર આ પહેલની અસરને સ્વીકારતા, આગામી વિશેષ ઝુંબેશની સફળતા માટે સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે.
શ્રમ અને રોજગાર મંત્રાલય રિસ્પોન્સિવ અને સુલભ શ્રમ વહીવટીતંત્ર દ્વારા અસરોકારક ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા, ઔદ્યોગિક સંબંધોને મજબૂત કરવા અને કામદારોના અધિકારો અને કલ્યાણનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

