શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સ્વામી વિવેકાનંદ ઉદ્યાન સોનગઢની જનતા માટે ખુલ્લો મુકાયો:
બળીયા બાપજી મંદિર ની સામે ‘સ્વામી વિવેકાનંદ ઉધાન’ નુ સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી ટપુભાઈ એચ. ભરવાડ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
આજરોજ સોનગઢ નગરપાલિકામાં તારીખ 29-10-2021 ના રોજ વોર્ડ નંબર ૭ ના બળીયા બાપજી મંદિર ની સામે ‘સ્વામી વિવેકાનંદ ઉધાન’ નુ સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી ટપુભાઈ એચ. ભરવાડ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી ભાવનાબેન ગામીત, બાધકામ અધ્યક્ષ અમિતભાઈ અગ્રવાલ, બાગ-બગીચા અધ્યક્ષ લતાબેન જાદવ, અન્ય સભ્ય શ્રીઓ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા, આ સાથે વોર્ડ નંબર સાત ના લોકોએ ખૂબ હર્ષની લાગણી અનુભવી.