શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા-મોવી માર્ગ પર યાલ ગામ પાસે રૂપિયા 8.80 કરોડના ખર્ચે એપ્રોચ બ્રીજનું નિર્માણ કરાશે
સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં બ્રીજના કામનું ખાતમુહૂર્ત યોજાયું
આગામી દિવસોમાં મોવીથી દેડિયાપાડા સુધીના માર્ગને RCC બનાવવાની રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક મંજૂરી મળશે, જેમાં રૂપિયા 100 કરોડનો ખર્ચ થવાનો અંદાજ
બિપીન વસાવા, નેત્રંગ: નર્મદા જિલ્લાના દેડિયાપાડા-સાગબારા તાલુકાના ગામોને જિલ્લા મથક રાજપીપલા સાથે જોડતા મુખ્ય માર્ગ પર મોવી-યાલ ગામ વચ્ચે નદી પરનો બ્રીજ ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેને નવો બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવતાં સરકારમાંથી અગ્રતાના ધોરણે ટૂંકસમયમાં મંજૂરી મળતાં હવે આ રોડ પર રૂપિયા 8.80 કરોડના ખર્ચે નવા એપ્રોચ લો લેવલના બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સભ્ય પર્યુષાબેન વસાવા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ખાનસિંગ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એસ.એચ.મોદી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, નાંદોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વસાવા સહિત સ્થાનિક અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.