Site icon Gramin Today

કોરોના વાયરસ દેહ્સત કે પછી વાસ્તવિકતા?

કોરોના વાયરસ નાં લીધે  વૈશ્વિક આરોગ્ય સંગઠને who વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી,  ‘ભારત માટે હોળીના રંગોમાં ભંગ” 

    આજે વિશ્વપટલ સૌથી વધારે ચર્ચિત અને દેહ્સત વાળો શબ્દ હોય તો એ     મેડ ઇન ચાઈના “કોરોના” વાયરસ છે, ચીનનાં સેન્ટ્રલ હુબેઈ પ્રાંતમાં ડીસેમ્બર માસમાં પહેલો કેસ સપાટીએ આવ્યો હતો હાલ ચીનમાં  થઇ આજે  જગતમાં ૮૪ દેશોમાં કોરોનાથી પ્રભાવિત હજારોની સંખ્યા છે, જાહેર થયેલ આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં ચીનમાં ૩૦૧૩ મોત થયા, ૮૦૪૩૦ લોકો પ્રભાવિત છે,  અને દુનિયામાં ૩૨૮૬ લોકોનાં  મૃત્યુ થયા છે, અમેરિકામાં પણ ૧૦થી વધુ લોકો શિકાર થયા, એમ આખી દુનિયામાં ૯૫૪૮૩ કોરોના વાયરસથી પ્રભાવિત છે, મળતી માહિતી મુજબ ચીનનાં અલગ પ્રાંતમાં ૬ કરોડથી વધારે લોકો નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા  છે, સુરક્ષાને લઇ ચીનની જનતા તથા તંત્રની અત્યાર સુધીની કામગીરી દુનિયામાં વખાણાય રહ્યા છે, દુનિયાને ધમધમતું રખનાર વુહાન શહેર આજે સુમસામ બન્યું છે,  ચીન આજે ખરાબ હાલતમાંથી પસાર થઈ રહ્યું છે,  હાલ ભારત દેશમાં પણ ૨૯ પોઝીટીવ કેસ નોધાય ચુક્યા છે, અને ૧૭૦ લોકોને આઈસોલેશનમાં રાખાયા છે, સૌથી વધુ કેસ રાજસ્થાનમાં નોધાયા,   દેશમાં તંત્રએ  કરોના સામે તકેદારી, સુરક્ષાનાં ભાગરૂપે સતર્ક  છે, ગભરાવાની જરૂર નથી  આજે સંસદમાં નિવેદન આપતાં  કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું,  સંસદમાં કરોના વાયરસ જેવા જીવલેણ  મુદ્દા વચ્ચે કોંગ્રેસની  મઝા લેવાનું ભાજપનાં  સાંસદ નહિ  ભૂલ્યા આ વાત સાબિત કરે છે કે આપણા  પ્રતિનિધિઓ કેટલાં સતર્ક ને જવાબદાર છે?  વધુમાં  ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીએ પ્રજાને સ્વસ્થ અંગે સાવધાની રાખવા અપીલ કરી, અને સરકારની સાવધાની રૂપ ગાઈડલાઈન્સ પાલન કરવા કહ્યું, ગુજરાતની સંવેદનશીલ સરકારે ફીવર હેલ્પલાઇન ૧૦૪ ની મદદ લેવા જણાવ્યું, સરકારે આઈસોલેશન વોર્ડની સુવિધા સતર્કતા રૂપે  ઉપલબ્દ કરી છે, સુરત અને અમદાવાદમાં સ્કીનીંગ કામગીરી ચાલુ છે, હાલ કોઈ કેસ નોધાયો નથી,

 કોરોના વિષે;     જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં રહેલા નમૂનામાં સૌપ્રથમ વખત આ વાયરસની ઓળખ થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ સાથે આ વાયરસ જોડાયેલો છે. કોરોના વાયરસ  પર નજર કરીએ તો આ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે.  વૈજ્ઞાનિકોએ ન્યૂ કોરાના વાયરસ કે નોવેલ કોરોના વાયરસ નામ આપ્યુ છે.  જેઓ ઉમરે વરિષ્ટ છે તેઓ આ વાયરસથી જલ્દી ભોગ બને છે, કારણ કે તેમની રોગપ્રતિકાર શક્તિ નબળી હોય છે,  ડર માનવીને માનસિક રીતે તોડી નાખે  છે, તેવા માનવીને સારવાર કામનો નથી, ડર અને રોગ પ્રતિકારક શક્તિ અંદરુની શક્તિ છે, કોરોના વાયરસથી ફેલાયેલી દેહ્સત એ થી નાં ફેલાવવી જોઈએ કારણકે  રોગથી મૃત્યુ  થવાની સંખ્યા  કરતાવધારે  સારા થનારા લોકો હજારોની સંખ્યામાં છે, બીજા દેશોમાં ફેલાયેલી કોરોના વિશેની  દેહ્સતને અમુક લોકો ફક્ત પ્રભુત્વનો જંગમાત્ર માને છે, અને અમેરિકાનો સ્ટંટ માને છે, પણ આપણે તો ‘ચેતેલો નર સદા સુખી’ માં માનનારા હોય સાવચેતી રાખવી  રહી,           

લક્ષણો; 

કોરોના વાયરસના શરુઆતી લક્ષણો તો અત્યંત સામાન્ય છે પરંતુ તેમ છતાં આ વાયરસ ઘાતક નીવડી શકે છે ત્યારે તેના મહત્વના લક્ષણો પર નજર કરીએ તો આ વાયરસમાં શ્વાસ લેવામાં મુશ્કેલી. ગળામાં દુખાવો, શરદી, ખાંસી તાવ આવે છે. તાવ વધતા ન્યૂમોનિયાનુ સ્વરૂપ લે છે. ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બને છે, પ્રાપ્ત માહિતી મુજબ ચીનમાં દવાનું સંશોધન થવું એ સારા સમાચાર છે, અને  ભારતમાં કોરોના સન્ક્રમિત વ્યક્તિ સાજા થઇ હાલમાં ઇન્ટરવ્યુ આપ્યુ,

શું પગલાં ભરવા ?     કોરોના વાયરસના સતત વધતા કેસ અને મોતથી લોકો માં ડર ફેલાઈ ગયો છે. આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો પર નજર કરીએ તો. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ.  ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ. 

Exit mobile version