Site icon Gramin Today

આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેમ્પ્લેટ વિતરણ તેમજ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ હાથ ધરાયો :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર

વાડી હાટ બજાર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેમ્પ્લેટ વિતરણ તેમજ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ હાથ ધરાયો;

 ઉમરપાડા તાલુકાના વાડી હાટ બજારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેમ્પ્લેટ વિતરણ કરી લોકો સાથે સંવાદ કર્યો હતો સાથે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ તેમજ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશે તેમજ ગુજરાત માં કેજરીવાલજી એ આપેલ ગેરંટી વિશે લોકો ને AAP નાં કાર્યકરો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ લોકો આમ આદમી પાર્ટી ની સરકાર બનાવવા ઉત્સુક છે. અને અને ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે તેમ AAP નાં ઉમરપાડા નાં પૂર્વ પ્રમુખ ગૌરાંગભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકા ના પૂર્વ પ્રમુખ ગૌરાંગભાઈ, વિધાનસભાના સંગઠન મંત્રી દિપકભાઈ, ધવલભાઈ વસાવા, સંગઠન સહ મંત્રી સુનીલભાઈ, સંગઠન મંત્રી ગિરીશભાઈ મિશ્રા, માંગરોળ તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી આસીફ ભાઈ મિર્ઝા, માંગરોળ વિધાન સભાના પ્રભારી ભરતભાઈ પરમાર, નાશિરભાઈ શેખ, સક્રીય કાર્યકર્તા શિવરાજભાઈ વસાવા, સુનીલભાઈ વસાવા સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version