Site icon Gramin Today

NSS કાર્યક્રમ અંતર્ગત પાટવલી ગામના આગજનીમાં ભોગ બનેલા પરિવારોના મદદ માટે ફંડ એકત્ર કરતા વિદ્યાર્થીઓ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજનાં NSS કેમ્પ અંતર્ગત પાટવલી ગામના આગજની માં ભોગ બનેલા પરિવારો ને મદદ માટે ફંડ એકત્ર કરતા વિદ્યાર્થીઓ;

ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે આગજની હોનારતમાં 18 પરિવારોના ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, તેમજ તમામ પરિવારો બે ઘર બન્યા હતા, તેના સમાચાર અનેક તાલુકાઓ તેમજ જિલ્લાઓમાં વાયુવેગે ફેલાતા ઘણી સંસ્થા તેમજ ટ્રસ્ટો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે, ત્યારે ડેડીયાપાડા સરકારી વિનયન કોલેજ નાં NSS અંતર્ગત કોલેજના પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન પટેલ ની અધ્યક્ષતામાં NSS નાં કોર્ડીનેટર રમેશભાઈ વસાવા દ્વારા વાર્ષિક NSS શિબિરના અર્થે ડેડીયાપાડા તાલુકાના પાટવલી ગામના 18 પરિવારોના ઘર આકસ્મિક આગ લાગતા બળીને રાખ બની ગયા હતા, જેમને મદદરૂપ થવાને અર્થે NSS નાં સ્વયં સેવકો દ્વારા ડેડીયાપાડા ના હાટ બજારમાં ફંડ એકત્રિત કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વિનયન કોલેજ ના 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સાથે અંગ્રેજીના પ્રધ્યાપક મહેશભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version