શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪X૭ વેબ પોર્ટલ
૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. મુશ્કેલીઓ , અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, આથી વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.
ભારત રત્ન ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી પર, અમે તેમના પ્રેરણાદાયી વિચારોને યાદ કરી રહ્યા છીએ, જે આજે પણ યુવાનોમાં નવી ઊર્જા ભરવાનું કામ કરે છે. આજે પણ DSC (Doctor Of Science) ની ડિગ્રી આંબેડકર બાદ માત્રને માત્ર ડો. કે.આર. નારાયણન જ લઈ શક્યા છે. આજે પણ ભારતમાં માત્ર બે (૨) જ વ્યક્તિ છે, જેમણે આ સૌથી મોટી ડિગ્રી મેળવી છે. ડૉ. બી.આર. આંબેડકર 64 વિષયોમાં માસ્ટર હતા. તેમને 9 ભાષાઓનું જ્ઞાન હતું તેમજ તેમની પાસે કુલ 32 ડિગ્રી હતી.
૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ.
તેમણે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. અને ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ તેમણે નાગપુર દીક્ષાભૂમિ માં ૬,૦૦,૦૦૦ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો
ડૉ. બી.આર. આંબેડકરના પ્રેરણાત્મક વિચારો
- “મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે.”
- “હું કોઈ સમાજની મહિલાઓની પ્રગતિથી જ તે સમાજની પ્રગતિ માનું છું.”
- “હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં.”
- “જ્યાં સુધી તમે સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી, કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવેલી સ્વતંત્રતાનો તમારા માટે કોઈ અર્થ નથી.”
- “જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે, તે ઇતિહાસ બનાવી શકતા નથી.”
- “શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો.” “ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નહીં.”
- “જેમ માણસ નશ્વર છે, તેવી જ રીતે વિચારો પણ છે. એક વિચારને પ્રચારની જરૂર છે, જેમ છોડને પાણીની જરૂર હોય છે, નહીં તો તે સુકાઈ જાય છે અને બળી જાય છે.
બૌદ્ધ ધર્મ અપનાવતા સમયે તેમણે લીધેલી 22 પ્રતિજ્ઞાઓ
- હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોઈ વિશ્વાસ નહિ રાખું અને ના હું એમની પૂજા કરીશ.
- હું રામ અને કૃષ્ણને ઈશ્વર નહિ માનું ના એમની પૂજા કરીશ.
- હું ગૌરી, ગણપતિ અને હિન્દુ ધર્મના કોઈ પણ ભગવાનને ભગવાન નહીં માનું કે એમની પૂજા નહિ કરું.
- ઈશ્વરે અવતાર લીધો એમાં મારો વિશ્વાસ નથી.
- હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુનો અવતાર છે એ જૂઠો અને ભ્રામક પ્રચાર છે.
- હું શ્રાદ્ધપક્ષ નહી કરું અને પિંડદાન પણ નહીં કરું.
- બૌદ્ધ ધર્મ સાથે મેળ ન હોય એવાં કોઈ પણ આચાર-ધર્મનું પાલન નહિ કરું.
- હું બ્રાહ્મણોના હાથે કોઈ ક્રિયાકર્મ નહિ કરાવું.
- બધા મનુષ્ય માત્ર સમાન છે એવું હું માનું છું.
- હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ.
- હું બુદ્ધના અષ્ટાંગિક માર્ગનો અનુસરણ કરીશ.
- હું બુદ્ધ દ્વારા નિર્ધારિત દસ પારમિતાઓનું પાલન કરીશ.
- હું બધા જ જીવિત પ્રાણીઓ પ્રતિ દયા કરીશ.
- હું ચોરી નહિ કરું.
- હું જૂઠું નહિ બોલું.
- હું વ્યભિચાર નહિ કરું.
- હું દારૂ નહિ પીવું.
- પ્રજ્ઞા, કરુણા અને શીલ આ ત્રણ તત્વોના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ.
- મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્રને અસમાન તેમજ કોઈને નીચ માનવા વાળા મારા જૂના ધર્મનો હું ત્યાગ કરું છું અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું.
- બૌદ્ધ ધર્મ સદ્ધર્મ છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે.
- હું માનું છું કે આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે.
- આજ પછી હું બુદ્ધે આપેલી શિક્ષા પ્રમાણે જ ચાલીશ.