Site icon Gramin Today

તાપી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે પાન ઈન્ડીયા અવેરનેશ એન્ડ આઉટરીચ કેમ્પેાઈનના માધ્યતમથી કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો.

ગામડાઓમાં મહત્તમ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા માટે કુલ ૩૭૩૭ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા,

વ્યારા-તાપી: ભારત સરકાર દ્વારા દેશની આઝાદીના ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સાવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાીયમૂર્તિશ્રી તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, (નાલસા) નવી દિલ્હીના એકઝીકયુટીવ ચેરમેન યુ.યુ. લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશુલ્ક અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતાની માહિતી પહોંચે તે માટે ૪૪ દિવસનું પાન ઈન્ડિયા અવરનેશ એન્ડ આઉટરીચ કેમ્પેાઈન તા.૦૨/૧૦/૨૧ થી તા.૧૪/૧૧/૨૧ દરમિયાન હાથ ધરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ગુજરાત રાજયમાં આવેલા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ તથા મુખ્યત ન્યાયમુર્તિશ્રી અરવિંદકુમાર તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠત ન્યાયમુર્તિશ્રી આર.એમ. છાયા તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના ચેરમેન, ન્યાયમુર્તિ સુ.શ્રી સોનીયાબેન ગોકાણીના સતત માર્ગદર્શન હેઠળ આ કેમ્પેઈન સમગ્ર ગુજરાત રાજય અને ખાસ કરીને દરેક ગામોમાં જે તે જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે તે તાલુકાની તાલુકા સેવા સમિતિઓ મારફતે હાથ ધરવામાં આવી રહયું છે. જે અંતર્ગત રાજયના તમામ જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેનલ એડવોકેટ, પેરા લીગલ વોલીએન્ટર, લો સ્ટુીડન્સ તથા અન્ય સ્વૈચ્છિંક સંસ્થાેઓ જેમ કે, આંગણવાડી બહેનો વિગેરે મારફતે આ અંગે ગામે-ગામ ડોર ટુ ડોર કેમ્પેઈન મોબાઈલ વાન મારફતે હાથ ધરવામાં આવી રહી છે.
આ કેમ્પે‍ઈન દ્વારા લોકોને મફત કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતા બાબતે જાગૃત કરવામાં આવી રહયા છે. તદઉપરાંત સામન્ય લોકોને સ્પર્શતા કાયદાકીય પ્રશ્નો અંગે કાનૂની શિબિરો પણ યોજવામાં આવી રહી છે. આ કેમ્પેાઈનમાં રાજયના તમામ જિલ્લાના જિલ્લા ન્યા્યાધિશશ્રીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન પણ સંનિષ્ઠ પ્રયાસો કરી વધુમાં વધુ કાનૂની જાગૃતિ ફેલાય તે માટે તમામ પ્રયત્નો કરી રહયા છે. આ કેમ્પેીઈનનો ઉદ્દેશ સમગ્ર ગુજરાતના દરેક ગામોમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલીએન્ટર્સની ટીમ તબકકાવાર ત્રણ વખત જઈ લોકોને તેઓના કાનૂની અધિકારોથી જાગૃત કરવાનો છે.
તા.૨૫/૧૦/૨૧ સુધીમાં ગામે ગામ જઈ ડોર ટુ ડોર કેમ્પેોઈન કરી આજ સુધી પ્રથમ તબકકામાં તમામ ૧૮૫૪૧ ગામડા તથા બીજા તબકકાના ૪૫૫૫ ગામડા ફરી કુલ ૨,૨૧,૪૫,૯૭૦ લાભાર્થીઓનો લોક સંપર્ક કરી મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. આ સમય દરમિયાન ૧૦૬૯૮ ગામડાઓમાં ૧૧૪૧૩ કાનૂની શિક્ષણ શિબિરો યોજી ૧૪,૪૫,૭૦૫ લાભાર્થીઓને કાનૂની પ્રશિક્ષણ પુરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ૩૪૭ મોબાઈલ વાનનો ઉપયોગ કરી સમગ્ર રાજયમાં ૭૪૭૪ ગામડા ફરી ૬૦,૮૩,૮૮૫ લાભાર્થીઓને, ૭૦૩ લીગલ એઈડ કલીનીકમાં ૭૩૯ કાનૂની જાગૃતિ શિબિરો યોજી ૨,૫૪,૫૩૦ લાભાર્થીઓને, જ્યાઈરે સોશીયલ મીડીયા પ્લેટફોર્મ જેવા કે, ફેસબુક, યુ ટયુબ તેમજ ટી.વી. રેડીયોના માધ્યમથી ૬૬૦ જાગૃતિ કાર્યક્રમો યોજી ૩,૦૧,૧૪,૪૩૮ લાભાર્થીઓને, તેમજ વિવિધ જિલ્લાઓમાં વિવિધ તારીખોએ મેગા લીગલ સર્વીસીસ કેમ્પ્, એકઝીબીશન, રેલી, સ્ટોલ વિગેરેનું આયોજન કરી ૨૮૪ પ્રોગ્રામ યોજી ૨૧,૪૬,૯૩૯ લોકોને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધ તા બાબતે અવગત કરાયા છે. આમ રાજ્યના તમામ ગામડાઓમાં મહત્તમ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધીતા માટે કુલ ૩૭૩૭ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આકાશવાણી, વિવિધ રેડીયો ચેનલ તથા દુરદર્શન પર આ કેમ્પેૂઈન દરમિયાન વિવિધ તારીખોએ કાનૂની સેવા સત્તામંડળો દ્વારા આપવામાં આવતી મફત અને અસરકારક કાનૂની સેવાઓ તથા સામાન્ય વ્યકિતને સ્પર્શે તેવા કાનૂની વિષયો ઉપર કાયદાના નિષ્ણાતો મારફતે ટોક-શોનું (સવાલ-જવાબ)નું આયોજન કરી મહત્તમ લોકો સુધી કાનૂની સાક્ષરતા અને તેમના અધિકારો વિશે માહિતી પહોંચાડવાનો સુંદર અભિગમ હાથ ધરવામાં આવ્યું છે.
ઉપરાંત અન્યર દૃશ્ય્-શ્રાવ્ય માધ્યમો થકી પણ આ અભિયાન ચલાવવામાં આવી રહયું છે, જેમાં વિવિધ સોશિયલ મીડીયા એપ, રેડીયો ચેનલ, ડીઝીટલ મીડીયા વિગેરે થકી કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, ૧૯૮૭ હેઠળ કોને અને કેવી રીતે કાનૂની સહાય મળી શકે તેની જાણકારી આપવામાં આવે છે.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ માનનીય ન્યાયમુર્તિશ્રી અરવિંદકુમાર, ચીફ જસ્ટીશ ગુજરાત હાઈકોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ‍ ન્યા્યમુર્તિશ્રી આર.એમ. છાયા સાહેબ તથા ગુજરાત હાઈકોર્ટ કાનૂની સેવા સમિતિના ચેરમેન, ન્યાયમુર્તિ સુ.શ્રી સોનીયાબેન ગોકાણી દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલ છે કે, કોઈપણ પ્રકારના કાનૂની પ્રશ્ન, કાનૂની મુંઝવણ, કાનૂની સહાય કે કાનૂની સલાહ માટે નજીકના કાનૂની સેવા સંસ્થાનનો સંપર્ક કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version