Site icon Gramin Today

કોઝવે પરથી નદીના પ્રવાહમાં તણાઈ ગયેલી બાળકીના માતપિતાને આર્થીક સહાય ચૂકવવામાં આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેવ નદીમાં કોઝવે પરથી નદીના પ્રવાહમાં તણાઈ ગયેલી બાળકીના માતપિતાને ૪ લાખ ની સહાય ચૂકવવામાં આવી;

ડેડીયાપાડા તાલુકાના કણજી ગામ પાસે આવેલા કોઝવે પર ગત ૧૧ જૂનના રોજ સાંજના ૮ કલાકની સમયગાળા દરમ્યાન જીગ્નેશભાઈ મીરાભાઈ વસાવાની દીકરી મમતાબેન વસાવા તેમજ પત્ની શિલાબેન વસાવા મૂળ. રહે. વાંદરી,  દેવ નદીના કોઝવે પરથી પસાર થતા હતા, તે દરમ્યાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં અચાનક વધારે પ્રવાહ આવતા પુત્રી મમતાબેન જીગ્નેશ વસાવા ઉંમર વર્ષ 8 તણાઈ જતા બાળકીનું મોત થયું હતું. જેમાં બાળકીના માતાપિતાને સરકારી સહાય ચુકવવામાં આવી હતી. ડેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સભ્ય, તલાટી તેમજ સરપંચની હાજરીમાં બાળકીના માતાપિતાને રૂપિયા ચાર લાખનો ચેક આપવામા આવ્યો હતો. 

Exit mobile version