Site icon Gramin Today

ઓલપાડના કિમ ગામે ભંગારની દુકાન ચલાવતા આધેડે સગીરા પર દુષ્કર્મ આચર્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ સર્જન વસાવા  

ઓલપાડના કિમ ગામે ભંગારની દુકાન ચલાવતા આધેડે સગીરા પર દુષ્કર્મ આચર્યું;

ભંગારિયો અને પસ્તી વાળા ને જુના પાઠયપુસ્તક આપવા ગયેલી સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું, આખરે ગર્ભ રહી જતા સમગ્ર ઘટના બહાર આવી;

ઓલપાડ: સુરત ગ્રામ્યમાં સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પસ્તી અને ભંગારની દુકાન ચલાવતા એક વિકૃત માનસિકતા ધરાવતા આધેડે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર ઘટના બહાર આવી હતી. જેથી સગીરાના પિતાએ કિમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

           પ્રાપ્ત વિગતો અનુસાર ઓલપાડના કિમ ગામે આરોપી નાથુજી નંદાજી કુમાવત નામનો આધેડ ભંગારની દુકાન ચલાવે છે. સગીરા જ્યારે જુના પાઠયપુસ્તક આપવા માટે દુકાને ગઈ હતી ત્યારે વિકૃત માનસિકતા ધરાવતો આધેડ આ સગીરાને દુકાનના પાછળના ભાગે લઈ જઈ મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સગીરાને મારી નાખવાની ધમકી આપી અવારનવાર બદકામ કરતો રહ્યો હતો. જો કે સગીરાને ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા માતા-પિતાને કિશોરીએ આપવીતી જણાવી હતી. જેથી સગીરાના પિતાએ કીમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કિમ પોલીસે દુષ્કર્મ ના આરોપી નાથુજી નંદાજી કુમાવતની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version